Abtak Media Google News

આજથી તારીખ 5મે સુધી બુક થયેલી તમામ ફ્લાઇટ રદ કરાઈ

દેશની વધુ એક એરલાઈન્સ કંપની નાદારીની આરે પહોંચી ગઈ છે. ખરેખર, વાડિયા ગ્રૂપની એરલાઇન ગો ફર્સ્ટે મંગળવારે એનસીએલટી સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ દરમિયાન, ગો ફર્સ્ટની તમામ ફ્લાઇટ્સ આવતીકાલે અને પરમ દિવસે એટલે કે 3જી, 4 અને 5મી મે 2023 માટે રદ કરવામાં આવી છે.-ફર્સ્ટ એરલાઈન્સે આ નિર્ણય અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને જાણ કરી છે. આવી સ્થિતિમાં, જે હવાઈ મુસાફરોએ આ બે દિવસ માટે કંપનીની ટિકિટ બુક કરાવી છે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર મુશ્કેલીમાં મુકાયેલી ગઓ ફર્સ્ટ એરલાઇનને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું, સરકાર ગો ફર્સ્ટને તમામ સંભવ મદદ કરી રહી છે, અને સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.ફર્સ્ટ એરલાઈન્સ લાંબા સમયથી નાણાકીય સમસ્યાનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ઓઈલ કંપનીઓની બાકી રકમ ચૂકવવામાં અસમર્થતાના કારણે એરલાઈન્સે આ મોટો નિર્ણય લીધો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો આર્થિક સંકટમાં ઘેરાયેલી એરલાઇન કંપની માટે એન્જિન બનાવતી અમેરિકન કંપની પ્રેટ એન્ડ વ્હિટનીએ સપ્લાય બંધ કરી દીધો છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.

અમેરિકન કંપની તરફથી એન્જિન ન મળવાને કારણે કંપનીના અડધાથી વધુ વિમાનો ઉડાન ભરી શકતા નથી. રિપોર્ટ અનુસાર એરલાઈન્સના લગભગ 50 એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા છે. જેના કારણે કંપનીના કેશ ફ્લો પર ખરાબ અસર પડી છે. મંગળવારે, ગો એરની નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવા અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદોનું પૂર આવ્યું હતું. આ સમાચાર વાંચીને ટિકિટ બુક કરાવનારા મુસાફરોએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએને ફરિયાદ કરી છે અને બુકિંગ પર તેમના રિફંડની માંગણી કરી છે.

કંપનીની વેબસાઈટ મુજબ એરલાઈનના કાફલામાં 61 એરક્રાફ્ટ છે. કંપની એવા સમયે મુસાફરોની આવક ગુમાવી રહી છે જ્યારે રોગચાળા પછી એર ટ્રાફિકમાં તીવ્ર વધારો નોંધાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર વાડિયા ગ્રુપની એરલાઈન ગો ફર્સ્ટ નાદારીની આરે પહોંચી ગઈ છે. કંપનીએ એનસીએલટી સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી પણ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.