Abtak Media Google News

સ્થા. સ્વરાજય ચૂંટણીના પરાજય અંગે થશે મનોમંથન

નવા પ્રદેશ પ્રમુખ અંગે પણ કરાશે ચિંતન

કોંગ્રેસના ગુજરાતનાં પ્રભારી રાજીવ સાતવ આગામી સમયમાં બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતા કોંગ્રેસમાં મનોમંથન શરૂ થઈ ગયું છે. આ અનુસંધાને કોંગ્રેસના મોવડી અને ગુજરાતનાં પ્રભારી રાજીવ સાતવ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.તેમની આ મુલાકાત દરમિયાન કોંગ્રેસની ચિંતન બેઠક યોજાશે. આ બેઠકમાં સ્થા. સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય અંગેનાં કારણોની ચર્ચા કરવામાં આવશે. અને આગામી સમયમાં કેવી રીતે ચૂંટણીમાં સફળતા મળે તે અંગે ચર્ચા વિચારણા કરી ધારાસભ્યોને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે. આ ચિંતન બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખને લઈ પણ ચર્ચા વિચારણા કરવામા આવશે અને નવા વિપક્ષી નેતાની પસંદગી પણ કરવામાં આવે તેવી શકયતા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.