Abtak Media Google News

કોંગ્રેસ દ્વારા ટુંક સમયમાં નવુ સંગઠન માળખુ જાહેર કરી દેવામાં આવશે તેવા સંકેતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શકિતસિંહ ગોહિલે આપ્યા છે. સંગઠનની જવાબદારીમાંથી મુકત થવાની ઇચ્છા વ્યકત કરનારાઓને ‘ફી’ કરી દેવામાં આવશે. જિલ્લા અને મહાનગરોના નવા પ્રમુખ અને સંગઠનના હોદાદારોના નામ જાહેર કરવામાં આવશે

જવાબદારીમાંથી મુકત થવા ઇચ્છતા નેતાઓને ‘ફ્રી’ ફરી દેવાશે: લોકસભાની ચૂૂંટણી પહેલા જિલ્લા-શહેરના  સંગઠનના હોદેદારો જાહેર કરાશે

મંડલ અને સેકટરની તમામ કામગીરી 10મી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવા પ્રભારી મુકુલ વાસનિકની ટકોર

નવું પ્રદેશ સંગઠન માળખુ પણ ખુબ જ ટૂંકા સમયમાં કરવામાં આવશે.પ્રદેશ કોંગ્રસ કાર્યાલય ખાતેઆજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના સંગઠન પ્રભારી સાંસદ  મુકુલ વાસનિકએ જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો કે મંડલ અને સેક્ટરની તમામ નિમણુક 10 ફેબ્રુઆરી 2024 સુધી પૂર્ણ કરવા માં આવે.  20 ફેબ્રુઆરી સુધીમાં દરેક જિલ્લાઓમાં સંગઠાત્મક સંમેલનો પૂર્ણ કરવામાં આવે ત્યાર બાદ રાજ્ય કક્ષાનું કાર્યકર્તા સંમેલન યોજવા માં આવશે. આવનારી ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીની સમીક્ષા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાંથી જે જે જિલ્લા-વિસ્તારમાંથી પ્રસાર થાય ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો સહિત તમામ સામાજીક, સ્વૈચ્છિક સંગઠનના કાર્યકર્તાઓ વધુમાં વધુ જોડાય તે માટે સ્થાનિક કક્ષાએ જનસંપર્ક અભિયાન કરીને પ્રયત્ન કરવાનો છે. ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા સામાજીક, રાજકીય અને આર્થિક ન્યાય માટેની આ સંઘર્ષમાં આપણે સૌ જોડાઈએ એ દિશામાં કામ કરશો તેવી અપેક્ષા છે. મતદાન યાદી અપડેટ કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે, તમામને આ કવાયતમાં સક્રિય રીતે ભાગ લેવાનું આહવાન કરવામાં આવ્યું. ’ દેશ માટે દાન ’ મુહિમ માં ભાગ લઈ વધુમાં વધુ યોગદાન આપવા કાર્યકર્તા આગેવાનોને અપીલ કરવામાં આવી હતી.

કોંગ્રેસ પક્ષની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ જિલ્લા-શહેરના આગેવાનો પાસેથી લોકસભાના ઉમેદવારની પસંદગી માટે નવતર પ્રયોગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સમિકરણો, પક્ષમાં યોગદાન સહિતની બાબતોને ધ્યાને લઈ બેલેટ પેપર પર ત્રણ સક્ષમ અને સક્રિય ઉમેદવારના નામ લખી અને બેલેટ બોકસમાં જમા કરાવવાની લોકતાંત્રિક પ્રક્રિયા નવીનત્તમ અભિગમ સાથે અમલમાં મુકવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો પાસે જે તે લોકસભા માટે આવેલ નામો ને પ્રમુખ અને પ્રભારી સમક્ષ ખોલવા માં આવશે. જિલ્લા માંથી યોગ્ય નામ આવે તે માટે ગુપ્ત રીતે નામ માંગવા માં આવ્યા હતા. લોકસભાના ઉમેદવાર સાથે લોકસભા ની ચુંટણી માટે અભિપ્રાય સાથે ત્રણ રચનાત્મક અને સંગઠનાત્મક સૂચન માંગવા માં આવ્યા હતા. લોકો ના આશીર્વાદ થી લોકો માટે સંસદ માં ગુજરાતનો અવાજ ઉઠાવે એ માટે સારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પક્ષને નુકશાન ના થાય અને કાર્યકરોની વાત હાઈ કમાન્ડ સુધી પહોંચી શકે તેવો એક નવતર પ્રયત્ન છે. સંગઠન માં બદલાવ ને લઈ ને ટૂંક સમય માં જ સંગઠનમાં ફેરફાર થશે. લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા પ્રમુખ અને સંગઠન માં નિમણુક કરવા માં આવશે.જે લોકો હાલમાં જવાબદારી થી મુક્ત થવા માંગતા હશે જિલ્લા-શહેરમાં ફેરફાર હાથ ધરાશે.

સંગઠન સંકલન બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, સિધ્ધાર્થભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રી બી. એમ.  સંદીપ, ઉષા નાયડુ, સોનલબેન પટેલ, સાંસદ ડો. અમીબેન યાજ્ઞિક, નારણભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. તુષાર ચૌધરી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શહેર-જિલ્લા કોંગ્રેસના પ્રભારીઓ સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષે સંગઠનલક્ષી શરૂ કરેલ પાયાની કામગીરી અને આગામી લોકસભા ચૂંટણી અંગે ધ્યાન લઈ રચનાત્મક સૂચનો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.