હિન્દુ સંસ્કૃતિમાં નાનાથી મોટા દરેક ધાર્મિક તહેવારોને ભાવભેર ઉજવવામાં આવે છે. ખાસ તો આગામી 21 એપ્રીલ એટલે રામનવમી ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નોમના બપોરે બાર વાગ્યે થયોહતો. સામાન્ય રીતે રામનવમીના દિવસે ઠેર ઠેર દેશ વિદેશમાં પ્રભુ શ્રી રામના જન્મ સમયે વિશેષ આરતી, દિપમાળા પ્રજવલીત કરવામાં આવતું હોય છે. મર્યાદા પુરૂષોતમ શ્રીરામના જન્મ અને જીવનથી આખા વિશ્ર્વને માર્ગદર્શન મળ્યું છે. કૌટુંબીક સામાજીત, રાજકીય મર્યાદામાં રહીને ઉતમ પુરૂષથનું ઉદાહરણ પૂરૂ પાડતુ શ્રીરામનું જીવન આપણને ઘણુ સમજાવી જાય છે. વર્તમાન સ્થિતિમાં કોરોના રૂપી રાક્ષસથી લડત આપવાની જરૂર હોવાથી દરેક વ્યકિત પોતાના ઘરે રહીને જ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરે તે અંગે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા લોકોને અર્પીત કરવામાં આવી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર સહિત જયા જયા રામભકતો વસે છે. ત્યાં ભાવભેર ઉજવણી સહિત શોભાયાત્રાઓનું પણ આયોજન થતુ હોય છે. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને તમામ કાર્યક્રમો મોકૂફ રાખી દરેક વ્યકિત ઘરે રહીને શ્રીરામ જન્મોત્સવ ઉજવે તેવી તમામ રામભકતોને અપીલ કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો