Abtak Media Google News

આણંદપરમાં રૂ. 130 કરોડની સરકારી જમીન ઉપર ઇટોના ભઠ્ઠાના દબાણ સામે કલેકટર તંત્ર દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે તેમાં વિલંબ થતા હવે કોર્ટે ડીમોલેશન સામે સ્ટે આપી દીધો છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ તાલુકાના આણંદપર ગામે સર્વે નં.207ની 43 એકર જમીન ઉપર 211 જેટલા ઇટોના ભઠ્ઠાનું દબાણ હતું. જેનું તાજેતરમાં તાલુકા મામલતદાર કરમટા અને તેમની ટિમ દ્વારા ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ આ ઇટોના ભઠ્ઠાવાળાઓએ સાંસદ અને ધારાસભ્યને રજુઆત કરી હતી. પરિણામે બન્ને નેતાઓએ કલેકટરને આ લોકોને સાંભળી બાદમાં નિર્ણય લેવા રજુઆત કરી હતી. જેથી કલેકટરે આ ડીમોલેશન અટકાવી દીધું હતું.

આણંદપરના ઈંટોના ભઠ્ઠાના દબાણ હટાવવા મામલે કલેકટર તંત્રને હવે પીછેહઠ કરવી પડશે

ઈંટોના ભઠ્ઠાવાળાઓના જણાવ્યા અનુસાર આણંદપરના સ.નં.207 પૈકીમાં 211 ઇંટ ભઠ્ઠી ધારકોને આજી નદી અને શહેરના અન્ય વિસ્તારમાં ચાલતા ઇંટ ભઠ્ઠાની સામે વૈકલ્પીક જમીન મહેસુલ વિભાગ ગાંધીનગરના તા.7/5/94ના પત્રથી ફાળવાયેલ છે. મહેસુલ વિભાગના પત્રની ગાઇડલાઇન મુજબ ઇંટ ઉત્પાદકોએ આજી નદી અને શહેરી વિસ્તારમાં ચાલતા પોતાના ઇંટ ભઠ્ઠા એકમની જમીન સરકારને ખાલી કબ્જે સોંપેલ છે તેમજ વૈકલ્પીક જમીનની બજાર કિંમત મુજબ થતી કબ્જા કિંમત પણ ભરપાઇ કરેલ છે.

ઇંટ ઉત્પાદકોએ પોતાને મળનાર વૈકલ્પીક જમીનની કિંમત ભર્યા બાદ મહેસુલ વિભાગના 1994ના પત્રની ગાઇડલાઇન મુજબ સ્થાનિક તંત્રએ વૈકલ્પીક જમીનમાં માપ મુજબ પ્લેટીંગ કરી નીયત નમુનાની શનદ સોંપી કાર્યવાહી પુરી કરવાની થતી હતી. પરંતુ આ બંને કામ સ્થાનિક તંત્રએ કર્યા વગર સદરહુ વૈકલ્પીક જમીન સને 2010 નાયબ કલેક્ટરે શરત ભંગ કરેલ હતી. જેની સામે 211 ઇંટ ઉત્પાદકો કલેક્ટરમાં ત્યારબાદ નાયબ કલેક્ટરમાં અને પુન:કલેક્ટરમાં અપીલમાં ગયેલ. જેમાં દર વખતે અમારી રજૂઆતના ખોટા અર્થઘટન કરી શરતભંગ કરેલ છે.

અગાઉ કલેકટર તંત્રની ટિમો ડીમોલેશન કરવા પહોંચી પણ ગઈ હતી, પરંતુ અરજદારોને એક વખત સાંભળવાની તક આપવામાં એક મહિનાનો વિલંબ થતા મેટર કોર્ટમાં પહોંચી

211 ઇંટ ઉત્પાદકો સને 1994થી પોતાને મળનાર વૈકલ્પીક જમીનના હક્ક માટે લડી રહ્યા છે. ત્યારે ઇંટ ઉત્પાદકોને ન્યાયીક પ્રક્રીયાનો ચાન્સ આપ્યા વગર થનાર ડિમોલીશનની કાર્યવાહી માટે મુખ્યમંત્રી, કલેક્ટર, નાયબ કલેક્ટર વિગેરેને તા.15/8/23 થી ઇ-મેઇલ દ્વારા રજૂઆતો કરાઇ છે. જેમાં કલેક્ટરના શરત ભંગના છેલ્લા હુકમને રદ્ કરી ઇંટ ઉત્પાદકોને વૈકલ્પીક જમીનની માપણી કરી-નિયત નમુનાની સનદ સાથે સોંપી આપવા જણાવેલ છે કે ઇંટ ઉત્પાદકોને ઉપલી કોર્ટમાં ન્યાયીક પ્રક્રિયાને પુર્ણ કરવા યોગ્ય સમય આપવા રજૂઆતો થયેલ છે.જો કે બીજી તરફ ઈંટોના ભઠ્ઠાવાળાઓએ કોર્ટ અને એસએસઆરડી બન્નેના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં કોર્ટે અરજદારોની દલીલો સાંભળી બાદમાં આ ડીમોલેશનની કાર્યવાહી ઉપર સ્ટે મૂકી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.