Abtak Media Google News

શાખપુર પાંચતલાવડા નાનીવાવડી સહિત ગ્રામ્ય સરપંચોની રજુઆત

દામનગર વિસ્તારો ના ગામડા ઓમાં રજળી પડતા લોકો મુસાફરો ને આકર્ષવા અનેક સૂત્રો માત્ર કાગળ ઉપર જ એસ ટી પરિવહન ટ્રાફિક નહિ મળવા ના બહાનાં હેઠળ ગમે ત્યારે આડેધડ રૂટ બંધ કરતા ડિવિઝન ક્ધટ્રોલર સામે સવાલ એસ ટી કમાણી નું સાધન કે પરિવહન સેવા ?હાથ ઊંચો કરો અને મુસાફરી કરો મુસાફરો સાથે અતિથિ દેવો મહેમાન જેવો વહેવાર કરો પણ બસ આવે ક્યારે ?

ગઢડા ડેપો માંથી ઉપડતી બપોર બાર વાગ્યે અને એક વાગ્યે ગઢડા ગારીયાધાર બસ બંધ કરવામાં આવી છે જેનાથી આજુબાજુના ગામ ઢસા દામનગર પાડરશીંગા અને પાંચ તલાવડા નાના કણકોટ અને શાખપુર નાની વાવડી ગામના લોકોને એસટી બસની સુવિધા ભારે તકલીફ પડી રહી છે વર્ષો જુનો ચાલતો રૂટ અચાનક બે દિવસથી બંધ કરતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાય છે જેની રજૂઆત શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ પાસ તલાવડા સરપંચ ધીરુભાઈ ખુમાણ અને નાની વાવડી સરપંચ સહિતના આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે વહેલામાં વહેલી તકે આ રૂટ શરૂ કરવામાં નહીં આવે તો રસ્તા આંદોલન કરવાની ફરજ પડશે તેવી રજૂઆત મુખ્યમંત્રી વેબ પેજ ઉપર શાખપુર સરપંચ   જશુભાઈ ખુમાણ અને પાંચ તલાવડા સરપંચ  ધીરુભાઈ ખુમાણ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.