Abtak Media Google News

૧૬મીએ રાત્રે ભવ્ય પ્રોસેસન (મોકીબ) નીકળશે ; ૧૭મીએ જન્મદિને વાયઝ ફરમાવશે; વિશ્ર્વભરમાંથી ૫૦ થી વધુ સ્કાઉટ બેન્ડ સુરાવલી પેશ કરશે

વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના દર્મગૂરૂ બાવનમાં દાઈ હીઝહોલીનેશ ડો.સૈયદના અબુલકાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)ના ૧૦૯મી જન્મ જયંતિ તથા ત્રેપનમાં દાઈ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)ના ૭૬મા જન્મદિવસ (મિલાદ મુબારક) તા.૧૭/૧૨ને મંગળવાર મીસરી તા.૨૦મી રબીઉલ આખરનાં રોજ આવે છે. જે સુરત શહેરમાં ભવ્ય રીતે ઉજવાશે.

વિશ્ર્વભરમાંથી દાઉદી વ્હોરા સમાજના લોકો સુરત ખાતે હજારોની સંખ્યામાં આપશે અને મુબારક બાદી પેશ કરશે.

તા.૧૬/૧૨ સોમવારના રોજ સાંજે મગરીબ ઈશાનીનમાઝ બાદ સુરતમાં ભવ્યાતિભવ્ય (મોકીબ) પ્રોસેશન નીકળશે જેમાં વિશ્ર્વભરમાંથી ૫૦ થી વધુ સ્કાઉટ બેન્ડ સુરાવલી પેશ કરશે વિશ્ર્વભરમાંથી દાઉદી વ્હોરા સમાજ દ્વારા અલગઅલગ ફલેટો સામેલ હશે જેમાં લોક કલ્યાણના માર્ગદર્શન આપતા ફલેટો સંખ્યાબંધ જોડાશે. શહેઝાદા સાહેબો, કસરેઆલીના ભાઈ સાહેબો, આમીલ સાહેબો, દરેક ગામનાં આગેવાનો, કોઠાર મુબારકના સાહેબો, હજારોન સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો પ્રોસેશનમાં જોડાશે.

7537D2F3 9

શહેઝાદા સાહેબો, કસરે આલીના ભાઈ સાહેબો, આમીલ સાહેબો, દરેક ગામના આગેવાનો, કોઠાર મુબારકના સાહેબો, હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો પ્રોસેશનમાં જોડાશે અને હિઝહોલીનેશ ડો.સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ)ને મિલાદ મુબારકની મુબારક બાદી પેશ કરશે. તા.૧૭.૧૨ મંગળવારના રોજ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) સવારે ૧૦.૧૫ કલાકે વાઅઝ ફરમાવશે. આ વાઅઝ સુનવા તેમજ આકા મૌલા (ત.ઉ.શ.)ના દિદાર કરવા સાત દાઈની જીયારત કરવા હજારો લોકો સુરત શહેરમાં આપશે. ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ) ડુમ્મસથી તા.૧૩.૧૨ શુક્રવારના રોજ સુરત પધારશે તેમ શેખ યુસુફભાઈ જોહરકાર્ડસવાલાએ જણાવ્યુંં હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.