Abtak Media Google News

મૃતક સગીરાના બનેવીનાં ભાણેજ સામે નોંધાતો ગુનો

જામનગરના દરેડ ગામે રહેતી સગીરાને તેના બનેવીના ભાણેજે પરાણે પ્રેમસબંધ રાખવા અને હેરાન પરેશાન કરતા કેરોસીન છાંટી સળગી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જો કે આઠ દિવસની સારવાર બાદ સગીરાનું સીવીલ હોસ્પીટલમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.પંચકોશી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરનાં દરેડ ગામે રહેતી સોનલ ચંદુભાઇ પરમાર  નામની 17 વર્ષીય તરુણી ગત તા.28 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે પોતાના ઘરે કેરોસીન છાંટી ભડભડ સળગી જતાં તેને પરીવારે બચાવી તુરત જ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલે ખસેડી હતી.જ્યાં 10 દિવસની સારવાર બાદ તરુણીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.આ અંગે જામનગર બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે ગુન્હો નોંધવા તજવીજ આદરી છે. સોનલના પિતા હયાત નથી પોતે બે બહેનમાં નાની છે. સોનલ વિધવા માતા લાભુબેન અને બનેવી લખધી ભાયાભાઇ ચારણ સાથે રહે છે. બનેવીનો ભાણેજ રવજી દેવાભાઇ વિજાણી દારુ પીને આવી તુ મારી સાથે પ્રેમસબંધ રાખ તેમ કહી અવાર નવાર પરેશાન કરે છે. જેથી કંટાળીને પગલુ ભરી લીધુ હતુ. આ અંગે જામનગર પોલીસ મથકનાં સ્ટાફે સોનલનું અગાઉ ડીડી પણ લીધું હતુ.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.