Abtak Media Google News

વેપારની ઉઘરાણી કરવા નિકળેલા આધેડના આકસ્મિક મોતથી પરિવારમાં માતમ

અબતક રાજકોટ

Advertisement

ધારી તાલુકાના વિરપુર ગામ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના વેપારીનું મોત નીપજ્યું હતું વ્યાપારની ઉઘરાણી કરવા નીકળેલા હાજરના આકસ્મિત મોતી પરિવારમાં માતમ છવાયો છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં નવા ઘી કાટા રોડ પર રહેતા અને ફાઇબરના દરવાજાનો વેપાર કરતા તાહીરભાઈ ઇમરાનભાઈ ભારમલ નામના 47 વર્ષના આધેડનું ધારી તાલુકાના વિરપુર ગામ નજીક નદી કિનારે કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક તહિરભાઈ ભારમલ ફાયબરના દરવાજાનો વેપાર કરતા હોય જેના પગલે પોતે ઉના તરફ ઉઘરાણી કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન આધેડ તાહિરભાઈ ભારમલ પોતાની કાર લઈને પરત રાજકોટ તરફ વળ્યા તે દરમિયાન ધારીના વિરપુર ગામ પાસે નદી કિનારે કાર ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવારમાં જ આધેડે દમ તોડતા પરિવારમાં માતમ છવાયો છે.પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.