Abtak Media Google News

મૃત શ્વાનને તારવવા જતા કાર ધડાકભેર ટ્રક સાથે અથડાતા સર્જાયો ગોઝારો અકસ્માત

અમદાવાદનો પરિવાર ઝિંઝર ગામ શ્રાદ્ધ માટે જતી વેળાએ કાળનો કોળિયો બન્યા

ગરાસીયા પરિવારના એક સાથે પાંચના મોતથી ઝિંઝરમાં શોક

અબતક,રાજકોટ

અમદાવાદ જિલ્લાના બગોદરા રોડ નજીક આવેલા હરીપુરા ગામના પાટિયા પાસે ગઈકાલ રાત્રીના ટ્રક અને કાર વચ્ચે એક ગોઝારો અકસ્માતમાં સર્જાયો હતો આ અક્સ્માતમાં બે બાળકો સહિત એક જ પરિવારના પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથધરી હતી.જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક મૂળ ઝીઝર ગામ શ્રાદ્ધ માટે જઇ રહ્યા હતા ત્યારે માર્ગ પર મૃતસ્વાનને તારાવવા જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

વિગતો મુજબ અકસ્માત ઝોનમાં આવતા ધંધુકા-બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ગોઝારા અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.

ઘટનાની જાણ થતાં ફેદરાની 108 દોડી ગઇ હતી અને મૃતકોની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી. ધંધુકા તાલુકાના ઝીંઝર ગામનો ચુડાસમા પરિવાર હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. અમદાવાદમાં રહેતો પરિવાર દર શનિવાર-રવિવારે અમદાવાદથી ઝીંઝર તેમના ભાઇના ઘરે શ્રાદ્ધ માટે જઇ રહ્યા હોવાનું પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.