સ્થાનકવાસી જૈન સંઘ-વિરાર (વેસ્ટ)માં ૨૫ વર્ષથી ઉપાશ્રય નિર્માણ યોજનાને ૨ વર્ષ પૂર્વે માત્ર ૬૩ દિવસમાં પૂર્ણ કરાવનાર શય્યાદાન મહાદાનના પ્રણેતા પૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહથી ઉપાશ્રય નાનો પડતા વિસ્તૃતિકરણ યોજનામાં માત્ર ૨ દિવસમાં માતબર અનુદાનથી હર્ષોલ્લાસ છવાયો છે. સંઘના ઉત્સાહી મંત્રી એડવોકેટ દિપ્તી શાહના જણાવ્યાનુસાર ઉપાશ્રયની જોડાજોડ જમીનની ખરીદી કરાતા ગોંડલ નિવાસી હાલ અંધેરી ચંપાબેન કાંતિલાલ ભાઈચંદ સંઘાણી હ.જયેશભાઈ સંઘાણીએ નામકરણનો લાભ લેતા વિમલનાથ જૈન ઉપાશ્રય અને આયંબિલ ભવનનો લાભ માલિનીબેન કિશોરભાઈ સંઘવી પરીવાર તેમજ આયંબિલ હોલનો દીપ્તિબેન શૈલેષભાઈ શાહ અને સ્વાધ્યાય ગૃહનો ઈન્દિરાબેન પ્રવિણચંદ્ર શાહ હ.અપૂર્વ, સૌરભ શાહ અને તેજલ મોદી (અમેરીકા)એ લીધેલ છે. આમ માત્ર ૨ દિવસમાં દાતાઓની દિલાવરીથી કાર્ય સંપન્ન થયેલ.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!