Abtak Media Google News

હિન્દુ-મુસ્લિમ સંસ્થા દ્વારા રોષભેર મૌન રેલી કઢાઈ

જમ્મુ-કાશ્મીરના પુલવામા ભારતીય સૈન્યના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કરી ૪૦થી વધારે જવાનોના મોતથી સમગ્ર દેશ હચમચી ઉઠયો જેના ભાગરૂપે ધોરાજીના ગાંધી ચોક ખાતે સાંજે ૬:૦૦ કલાકે હિન્દુ-મુસ્લિમ સંસ્થાઓની સામાજીક સંસ્થાઓ દ્વારા ડે.કલેકટરને મૌન રેલીરૂપે આવેદનપત્ર પાઠવેલ અને બાદમાં ૫૦૦૦થી વધારે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ રોષભેર મૌન રેલી કાઢી જે ધોરાજીના જેતપુર રોડ લિર્બરી રોડ અને શાકમાર્કેટ, સોની બજાર થઈ ગાંધીજીની પ્રતિમા પાસે હજારો લોકોએ કેન્ડલ સળગાવી માં ભોમની રક્ષા કાજે શહિદી વહોરનાર નારા દેશના સપુતોને પુષ્પાંજલી અર્પણ કરેલ અને દેશમાં તમામ લોકોની સંવેદનાઓ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.