Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દેશના જુદા જુદા મહાનુભાવોની પ્રતિમાઓ મુકવામાં આવેલ છે. હોસ્પિટલ ચોકમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા મુકવામાં આવેલ છે. થોડા સમય પહેલા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પરથી કોઈ આસામી દ્વારા બાબા સાહેબના ચશ્માં ચોરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા ચશ્માં બનાવવામાં આવેલ, જેના અનુસંધાને આજરોજ મેયર બિનાબેન આચાર્ય દ્વારા ડૉ.બાબા સાહેબની પ્રતિમાને ચશ્માં પહેરાવવામાં આવેલ.

આ પ્રસંગે શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટરશ્રી રાજુભાઈ અઘેરા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, પ્રવીણભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ વજુભાઈ લુણસીયા, અન્ય અગ્રણીશ્રી નીતિનભાઈ બારોટ, પરશોતમભાઇ રાઠોડ, બીપીનભાઈ પરમાર, રવિભાઈ ગોહેલ, જમનાદાસ વિસરીયા, નીખીલભાઈ રાઠોડ, એન.જી. પરમાર, અશોકભાઈ સિંઘવ, હિતેશભાઈ રાઠોડ, રવિભાઈ મકવાણા, રમેશભાઈ પરમાર, અજયભાઈ રાઠોડ, વિગેરે ઉપસ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.