Abtak Media Google News
  • મોરબી રોડ પર પોતાના ઘરે લઈ જઈ નરાધમે દુષ્કર્મ ગુજારતા બી-ડિવિઝન પોલીસમાં નોંધાતો ગુનો

રાજકોટમાં સતત ત્રીજા દિવસે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.મોરબી રોડ પર રહેતા શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ તેણીનો દેહ પીંખી નાખતા બી ડિવિઝન પોલીસ ગુનો નોંધી, કાર્યવાહી કરી છે.વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સગીરાના પિતાની ફરિયાદ પરથી અજય રાજેશભાઈ પ્રજાપતી સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

Advertisement

ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમની 17 વર્ષની પુત્રીને નરાધમ અજયે લગ્નની લાલચ આપી તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી અને મોરબી રોડ પર આવેલા પોતાના ઘરે લઈ જઈ તેના બળજબરી પૂર્વક અવાર નવાર દુષ્કર્મ ગુજર્યું હતું. જેથી આ મામલે બી ડિવિઝન પોલીસના પીઆઈ એસ.એમ. જાડેજાએ અજય સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.ઉલેખ્ખનિય છે,કે રાજકોટમાં સતત ત્રીજા દિવસે સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના બનવા પામી છે.ગઈકાલે આજીડેમ પોલીસમાં 16 વર્ષની સગીરા લગ્નની લાલચ આપી 16 વર્ષના સગીરે બળાત્કાર ગુજાર્યો હતો.જેમાં આજીડેમ પોલીસ આરોપીની અટકાયત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.