Abtak Media Google News

ચુનારવાડના યુવાને અગમ્ય કારણોસર ઝેર પી જીવન ટુંકાવ્યું

શહેરમાં યુવાન અને વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લીધો. જેમાં મોરબી રોડ પર રહેતા લોહાણા વૃદ્ધે પત્નીની બિમારીની ચિંતામાં અને ચુનારાવાડના યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટુંકાવી લેતા પરીવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના મોરબી રોડ પર ડ્રીમલાઈન સોસાયટીમાં રહેતા હસમુખભાઈ શાંતિલાલ જીવરાજાની નામના ૬૫ વર્ષીય વૃદ્ધે રૈયાનાકા ટાવર પાસે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા જયાં ફરજ પરના તબીબે હસુભાઈને મૃત જાહેર કરતા આ બનાવની જાણ એ ડિવીઝન પોલીસ મથકને જાણ કરતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ પ્રાથમિક તપાસમાં મૃતક હસમુખભાઈને લાંબા સમયથી ડાયાબીટીસની બિમારી હોય તેમજ પત્ની બિમારી સબબ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં હોય અને સારું ન થતા કંટાળી આ પગલું ભરી લીધાનું તપાસમાં ખુલ્યું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ચુનારાવાડ શેરી નં.૮માં રહેતા સંજયભાઈ લક્ષ્મણભાઈ મોરાણી નામના ૨૧ વર્ષીય યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા આ બનાવની જાણ થોરાળા પોલીસ મથકના સ્ટાફને કરતા હોસ્પિટલે દોડી જઈ કાગળો કરી આપઘાતનું કારણ જાણવા પીએસઅ)ઈ કે.કે.પરમાર સહિતના સ્ટાફે કાર્યવાહી હાથધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક સંજયભાઈ મોરણીની સગાઈ થઈ હતી. ત્રણ ભાઈઓમાં વચ્ચે હતો. સોના-ચાંદીની મજુરી કામ કરતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.