Abtak Media Google News

આજે નવરાત્રીનો પાંચમો દિસ છે. આજથી ભાવિકભકતો મા દુર્ગાની પૂજા કરશે. દુર્ગા પુજાનું મહત્વ હિન્દુ દેવી દુર્ગાની પાપના પ્રતિક સમાન મહિષાસુર પર વિજયના રૂપે મનાવવામાં આવે છે. એટલે કે દુર્ગા પુજાનું પર્વ બુરાઈ પર અચ્છાઈના વિજય રૂપે પણ મનાવવામાં આવે છે.

Advertisement

મૂળ કોલકતા, બાંગ્લાદેશમાં થતી દુર્ગાપૂજાનો ઉત્સવ દિલ્હી ઉતર પ્રદેશ , મહારાષ્ટ્ર, અને ગુજરાતમાં પણ મનાવવામાં આવે છે. પાંચમા નવરાત્ર કે સાતમાં નવરાત્રથી માં દૂર્ગાનું પૂજન શરૂ થાય છે. અને દશમા દિવસે માં દુર્ગાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.