Abtak Media Google News

રાજકોટના મણીયાર જીનાલય ખાતે માણીભદ્રદાદાના પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આપ્રસંગે જૈન સમાજના લોકો દ્વારા માણીભદ્રદાદાને સુખડીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો.2 79 અને ભગવાનની પૂજા અને દર્શન કરી પ્રાગટોત્સવ ઉજવ્યો હતો. આ તકે મણીયાર દેરાસર ખાતે બહોળી સંખ્યામાં જૈન ભકતો ઉપસ્થિત રહ્યા હતા.3 64અબતક સાથેની વાતચીત દરમિયાન અપૂર્વભાઈ મણીયાર એ જણાવ્યું કે આજે માણીભદ્રદાદાનો પ્રાગટય દિવસ છે. આજના દિવસે અમારા મણીયાર જીનાલયમાં વર્ષોથી માણીભદ્રદાદાના પ્રાગટય દિન નિમિતે સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે.4 42 અને હજારો ભકતો, ભાવિકો સાધર્મિકો દર્શનનો અને પૂજાનો લાભ લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.