Abtak Media Google News

ટાઈફોઈડ, મેલેરીયા, મરડા અને કમળા તાવના કેસો નોંધાયા

શહેરમાં સતત વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળાએ માથુ ઉંચકયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં તાવ અને ૩૦૦થી વધુ કેસો કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં સામાન્ય અને તાવના ૧૭૮ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૦૭ કેસ, ટાઈફોઈડના ૨ કેસ, મરડાના ૬ કેસ, મેલેરિયાના ૩ કેસ, કમળાના ૨ કેસ અને અન્ય તાવના ૧૯ કેસો નોંધાયા છે.

મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે ૩૨,૩૧૮ ઘરોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મચ્છરોની ઉત્પતી સબબ ૧૯૩ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.