Abtak Media Google News

ઉપલેટા સીણોજીયા પરીવારના માતુશ્રીના સ્મરણાર્થે માનવ સેવાના સહયોગથી આંખોના ફ્રિ નિદાન કેમ્પ યોજાયો હતો. શહેરના નિવૃત બેંક મેનેજર કે.ડી.સિણોજીયાના સ્વ.પત્નિ નર્મદાબેનના સ્મરણાર્થે બીજો આંખોનો ફ્રિ નિદાન કેમ્પનું ઉદઘાટન રાજયના પૂર્વમંત્રી બળવંતભાઈ મણવરના હસ્તે કરવામાં આવેલ હતું.

Advertisement

આ તકે બળવંતભાઈ મણવરે સિણોજીયા પરીવારની માનવ સેવા લાગણીને બિરદાવી હતી. આ કેમ્પમાં ૮૦ દર્દીઓએ ભાગ લીધો હતો. તેમાંથી ૧૦ દર્દીઓને મોતિયાના ઓપરેશન આવતા હોય તેને ફ્રિમાં ઓપરેશન સારવાર મળી રહે તે માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમમાં ઓપરેશન કરી આપવામાં આવશે.

Photogrid 1526927142589 1આ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કનેરીયાભાઈ, સુધરાઈ સભ્ય ડાયાભાઈ ગજેરા, લક્ષ્મણભાઈ પાનેરા, ભુપતભાઈ કનેરીયા, રસીદભાઈ શિવાણી, લાલજીભાઈ રાઠોડ, જે.બી.વસવેલિયા, અશોકભાઈ માકડિયા, ચેતનભાઈ કાલરીયા સીણોજીયા પરીવારના સાગરભાઈ, સંજીલાબેન સહિતનાઓ હાજર રહેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.