Abtak Media Google News

રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પર ભારે વરસાદના કારણે 100 મીટરની ટેકરી તૂટી કાર પર પડતા પાંચેય યુવકો કાળનો કોળિયો બન્યા

હાઈવે પરથી પસાર થતા વાહનો માટે તંત્રે એડવાઈઝરી જારી કરી

ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પર તરસાલી પાસે ભૂસ્ખલનને કારણે 100 મીટરથી વધુ રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. જેની ઝપેટમાં એક કાર પણ આવી, આ કારમાં બેઠેલા ત્રણ ગુજરાતીઓ સહિત પાંચ લોકો હતા, જેનું દર્દનાક મોત થયું. તે જ સમયે, ભૂસ્ખલનને કારણે, કેદારઘાટીનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જિલ્લા અને પોલીસ પ્રશાસને કેદારનાથ જતા શ્રદ્ધાળુઓને તેઓ જ્યાં છે ત્યાં થોડા દિવસો રોકાવાની અપીલ કરી છે, કેદારનાથ રોડ ઘણી જગ્યાએ જર્જરિત બની ગયો છે અને વારંવાર તૂટી રહ્યો છે. આવી સ્થિતિમાં મુસાફરી જોખમી હોવાથી તંત્ર એડવાઈઝરી જાહેર કરી છે.

વિગતો અનુસાર અનુસાર રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ રોડને પૂરો કરવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. એટલા માટે જિલ્લા પોલીસે યાત્રિકોને રોકી દીધા છે જેથી તેઓ કેદારનાથ તરફ ન જાય કારણ કે રસ્તો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હોવાને કારણે અવરજવર સંપૂર્ણપણે બંધ છે. બે દિવસ પહેલા ખુમેરા પાસે રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો જે ખુલ્લો મુકાયો હતો અને હવે ગઈકાલે સાંજે 4 વાગ્યાના અરસામાં ફરી એકવાર તરસાલી નજીકનો રસ્તો ભૂસ્ખલનના કારણે બ્લોક થઈ ગયો છે.

અકસ્માત નજરે જોનારા લોકોએ કે જણાવ્યું હતું કે, જ્યારે અહીં ભૂસ્ખલન થયું ત્યારે અહીંથી પસાર થઈ રહેલી એક કાર પણ ખડકની લપેટમાં આવી ગઈ હતી. જે બાદ જિલ્લા પ્રશાસન, પોલીસ અને એન.ડી.આર.એફ ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ડિઝાસ્ટર ટીમે કાટમાળ નીચે દટાયેલી કારને બહાર કાઢી છે. આ કારમાં પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા, તમામના મોત થયા છે. અને મૃતકોની તપાસ કરતા તેમાંથી ત્રણ ગુજરાતમાં વતની હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે, ફાટા (તરસાલી) નજીક રોડની ઉપરથી આવતા ભારે પથ્થર અને કાટમાળને કારણે વાહન દટાઈ જવાની માહિતીના આધારે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ તહેસીલદાર ઉખીમઠ તંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ રાખ્યું હતું. ઑગસ્ટ 10ના કામમાં રોકાયેલા. તેમણે માહિતી આપી હતી કે આજે ગઈકાલ ના રોજ ફરીથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જેસીબીના માધ્યમથી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો. કાટમાળમાં એક વાહન દટાયેલું જોવા મળ્યું હતું જેમાં 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તે તમામ મૃત્યુ પામ્યા હતા. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.