Abtak Media Google News

સફાઈ કર્મીઓને ભૂગર્ભ ગટરમાં ઉતારવા નિયમ વિરુદ્ધ, હવે આવી પ્રવૃત્તિ ચલાવી નહિ લેવાય, મોત માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના વહીવટદાર જવાબદાર : હાઇકોર્ટ

મોટા મહાનગરોથી લઈને ગામડાઓમાં કેટલાક કિસ્સાઓમાં ગટર સફાઈની કામગીરી દરમિયાન કર્મચારીઓના મૃત્યુ નીપજતા હોય છે. કર્મચારીના મૃત્યુને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે સફાઈ કર્મચારીઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે

Advertisement

વકીલ સુબ્રમણ્યમ ઐયરે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે આ સમગ્ર મામલાને ગંભીર ગણાવ્યો છે. તેમજ આવી હવે કોઈપણ ઘટના ન બને તેનું ધ્યાન રાખવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યા છે. હાઇકોર્ટે સફાઈ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેમજ કર્મચારીઓને ગટરમાં ઉતરતા રોકવામાં આવે છે. શા માટે લોકોને આવા કામ કરવા દેવામાં આવે છે. આ બાબતે અત્યાર સુધી ઘણું બધું થયું પરંતુ હવે કોઈના પણ મૃત્યુ ચલાવી નહીં લેવાય.

હાઇકોર્ટે મૃતકોને આપવામાં આવેલા વળતર મામલે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર તરફથી જે એફિડેવિટ ફાઇલ રજુ કરવામાં આવી છે. તેમાં ગટર કામની સફાઈ દરમિયાન જે કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. તેમાંથી 158 લોકોને વળતર ચૂકવી દેવામાં આવ્યા છે. તેમજ 11 લોકોને તાજેતરમાં વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. તેવી રજૂઆત સામે આવી હતી.

ગટરની સફાઇ માટે જે સાધનોની જરૂર પડે તે વસાવો

સરકારનો નિયમ હોવા છતાં પણ કર્મચારીઓ ગટરમાં ઉતરે તે યોગ્ય નહીં હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. સરકારની જવાબદારી છે કે, સુનિશ્ચિત કરવામાં આવે કે જે રીતે કામ કરવામાં આવે છે તે પ્રકારનું કામ સદંતર રીતે બંધ થાય. ગટરની સફાઈ માટે જે પણ સાધનની જરૂર પડે તે વસાવામાં આવે અને તેનો ઉપયોગ લેવામાં આવે.

હવે 19 જૂને સુનાવણી હાથ ધરાશે

હાઇકોર્ટે 19 જૂન સુધીમાં આ સ્થિતિ અંગે તમામ કોર્પોરેશન અને સત્તાધીશોને વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. 19 જૂન સુધીમાં આવા પ્રકારની કોઈપણ ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખો તેવી હાઇકોર્ટે સત્તાધીશોને ટકોર કરી છે. આ સાથે જ હાઈકોર્ટે નિર્દેશ આપતા કહ્યું છે કે, જો આવી કોઈ ઘટના હવે આવી તો જે તે મ્યુનિસિપલ કમિશનર અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ગ્રામ પંચાયતના સરપંચ સીધી રીતે આવા ઘટનાના જવાબદાર હશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 19 જુના રોજ હાથ ધરવામાં આવશે, ત્યારે કોર્પોરેશન અને સતાધીશો પોતાનો જવાબ રજૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.