Abtak Media Google News

યે તો હોના હી થાં..:નિરંજન શાહ

શશાંક મનોહરની આઈસીસીના ચેરમેન પદેથી વિદાય અંગે બીસીસીઆઈના પૂર્વ માનદ મંત્રી નિરંજન શાહે જણાવ્યું હતુ કે ‘યે તો હોના હી થા.’

આઈસીસીનાં ચેરમેન પદેથી શશાંક મનોહરની વિદાય અંગે બીસીસીઅઈના પૂર્વ માનદમંત્રી નિરંજન શાહે જણાવ્યું હતુ કે શશાંકજીએ પોતાના શાસનકાળ દરમિયાન દેશમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ માટે જે પ્રયાસો કર્યા તે અંગે મિશ્ર પ્રતિભાવ અનુભવતા હશે હવે તેઓ નિરાંતના સમયે પોતાના સતાકાળ દરમિયાન દેશમાં બીસીસીઆઈ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ માટે કરેલી કામગીરીની સમીક્ષા કરી શકશે તેમણે પોતાના શાસન દરમિયાન ભારતીય ક્રિકેટ અને બીસીસીઅઈને કેટલું નુકશાન કર્યું તે હવે જાણી શકશે. ભારતીય ક્રિકેટ અને ભારતના ક્રિકેટ ચાહકોએ રમતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકપ્રિય બનાવવા ઘરો ભોગ આપ્યો છે. અને મોટી આવક પણ કરાવી છે. તે શશાંક ભૂલી ગયા છે.

બીસીસીઆઈ છેલ્લા કેટલાક વર્ષોથી ભારે અફડાતફડીના માહોલમાંથી પસાર થયું છે. આ સમય દરમિયાન આઈસીસીએ ભારતીય ક્રિકેટ અને બીસીસીઆઈને શકય તમામ રીતે મોટુ નુકશાન કર્યું છે. જો કે હવે મને આશા છે કે મજબૂત પ્રમુખની આગેવાની હેઠળ બીસીસીઆઈ ફરી મજબૂત બનશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનો પક્ષ સ્પષ્ટ રીતે રજૂ કરી શકશે અને આઈસીસી માટે પણ આગેવાની લઈ શકશે તેમ નિરંજન શાહે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.