Abtak Media Google News

કાયમી આમંત્રીત સભ્ય તરીકે અપાયું સ્થાન: રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પરષોતમ રૂપાલાને પણ સ્થાન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા આજે રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને કાયમી આમંત્રીત સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisement

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીત શાહ, આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેબીનેટ મંત્રી પરષોતમભાઈ રૂપાલા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા રસીલાબેન બારા અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને પણ રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપ અધ્યક્ષ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્થાન આપવામાં આવતા સમર્થકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.