Abtak Media Google News

હવાઈ મુસાફરી કરતા યાત્રિકો માટે સારા સમાચાર છે. આવતા મહિનેથી રાજકોટથી મુંબઈ જવા વધુ બે નવી ફ્લાઈટ શરૂ થવાની છે.

તારીખ 15 ઓક્ટોબરથી એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈ નવી ફ્લાઈટ શરૂ થશે. આ ફ્લાઈટ સંભવત સવારનાં સમયે ઉડાવવામાં આવશે. જેથી રાજકોટથી યાત્રિકો સવારે મુંબઈ જઈને કામ પૂરૂ કરી સાંજે પરત રાજકોટ આવી શકે.

બીજી ફ્લાઈટ 27 ઓક્ટોબરથી સ્પાઈસ જેટ શરૂ કરી રહ્યું છે.છેલ્લા કેટલાક સમયથી રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઈટની અછત પ્રવર્તી રહી હતી.

પરંતુ આવતા મહિનેથી મુંબઈ જવા ઈચ્છતા યાત્રિકોને એક દિવસમાં ત્રણ-ત્રણ ફ્લાઈટ મળશે. ભવિષ્યમાં મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ફ્રીકવન્સી વધવાની પણ સંભાવના પ્રવર્તી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.