Abtak Media Google News

અંબાજી જતા પ્રવાસીઓ માટે સૂચના

શ્રદ્ધાળુઓની સલામતી માટે નિર્ણય

25 જૂલાઈથી 28 જૂલાઈ સુધી રોપ-વે સેવા બંધ કરાશે. યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેનું મેન્ટેનન્સ કાર્ય હાથ ધરાતા 25 જૂલાઈથી 28 જૂલાઈ એમ ચાર દિવસ સુધી રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. માતાજીની અખંડ જ્યોતના દર્શન માટે એક હજારો લોકો દર્શને આવે છે.મેન્ટેનન્સ કરવું સલામતી માટે જરુરી હોવાથી આ નિર્ણય લેવાયો છે. દરરોજ રોપ વે માં શ્રદ્ધાળુઓના ઘસારા થી ઉડન ખટોલાનું મેન્ટેનેન્સ આવતું હોય છે. જેથી શ્રદ્ધાળુઓની સલામતી અને ઉડન ખટોલાની સાર સંભાળ માટે 3 દિવસ ગબ્બર પર્વત પર રોપ-વે બંધ રહશે. અંબાજી આવતા દર્શનાર્થીઓ માટે સૂચન છે કે ગબ્બર પર્વત પર રોપ વે ઉડન ખટોલા તારીખ 25-07- 22થી 28-07-22 સુધી 4 દિવસ રોપ-વેના મેન્ટેનેન્સ કામ માટે બંધ રહેશે. 29-07-22 થી ગબ્બર પર્વત પર રોપ-વે રાબેતા મુજબ ચાલુ રહેશે.જ્યોતના દર્શન માટે એક હજાર પગથીયા ચઢવા પડે છે, તો જે શ્રદ્ધાળુઓને પગથીયા ના ચઢવા હોય તો રોપ-વે ઉડન ખટોલાની સુવિધા પણ ઉપલબ્ધ છે. શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટા ભાગે ઉડન ખટોલાનો ઉપયોગ કરતા હોય છે. ઉડન ખટોલા બંધ રહેવાથી શ્રદ્ધાળુઓને તકલીફ પડશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.