Abtak Media Google News

માંસ-મટનના વેંચાણ કે સ્ટોરેજ પર પ્રતિબંધ મુકાયો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આવતીકાલે નિર્વાણ દિવસ છે. અહીંના પૂજારી એવા બાપુને શ્રધ્ધાંજલી અર્પવા માટે મહાપાલિકા દ્વારા કાલે શહેરમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે આજે પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, કાલે ગુરૂવારે ગાંધી નિર્માણ દિન નિમિત્તે મહાપાલિકાના હદ વિસ્તારમાં આવેલા તમામ કત્તલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી, ચીકનનું વેંચાણ કે સ્ટોરેજ બંધ કરવા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે બીપીએમસી એકટ ૧૯૪૯ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા પર્યુષણ પર્વ, રામનવમી, જન્માષ્ટમી, મહાશિવરાત્રી અને શ્રાવણ માસના સોમવાર દરમિયાન શહેરમાં કત્તલખાના બંધ રાખવા માટે જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવે છે. પરંતુ અફસોસ કે તેની ચુસ્ત અમલવારી કરવામાં આવતી નથી.

જેનથી જીવદયાપ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળે છે. શહેરમાં ઠેર-ઠેર નોનવેજના હાટલા ખડકાઈ ગયા છે. અનેક બજારો જાણે નોનવેજ માર્કેટ બની ગઈ હોય તેવો માહોલ શહેરમાં જોવા મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.