Abtak Media Google News

પાલીતાણા સગા-સંબંધીઓને કંકોત્રી આપી બાઇક પર પરત આવતા આઇસરની ઠોકરે ચડતા મોત

ગારીયાધારના પરિવારના પુત્ર અને બે પુત્રીના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા પિતાનું આઇસરની ઠોકરે ગંભીર રીતે ઘવાતા મોત નીપજયુ છે. લગ્ન પૂર્વે જ પરિવારના મોભીના મોતથી અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત મુજબ ગારીયાધાર રહેતા દિનુભાઇ વાઘેલા જીજે1પીએસ 465 નંબરના બાઇક પર પાલીતાણાના માળીયા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે ગારીયાધારના ચીબરભાઇ કોળીના આઇસરની હડફેટે ઘવાતા તેમનું મોત નીપજયાની વિપુલભાઇ દિનુભાઇ વાઘેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મૃતક દિનુભાઇ વાઘેલાના પુત્ર વિપુલ અને બે પુત્રીના લગ્ન 11 માર્ચ હોવાથી તેઓ પાલીતાણા ખાતે રહેતા સગા સંબંધીઓને કંકોત્રી આપવા ગયા હતા અને બાઇક પર પરત આપતા હતા ત્યારે માળીયા ગામ પાસે આઇસરની ઠોકરે ગંભીર રીતે ઘવાતા તેમનું મોત નીપજયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.

ગારીયાધારના વાઘેલા પરિવારને તથા લગ્ન પ્રસગની ખુશીનો માહોલ હતો ત્યારે પરિવારના મોભીનુ માર્ગ અકસ્માતમાં મોત નીપજતા પરિવારનો હસી ખુશીનો પ્રસંગ શોકમાં પલટાતા અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.