Abtak Media Google News

રવિવારે સવારે 10 થી 5 વાગ્યા સુધી હેમુગઢવી નાટ્ય ગૃહ ખાતે ઓડિશન લેવાશે

છત્રપતિ શિવાજી મહારાજના જીવન કવન પર આધારિત ‘જાણતા રાજા’ મહાનાટકનો રાજકોટમાં શો યોજાવાનો છે. આ નાટકમાં 300થી વધુ કલાકારો કામ કરે છે તે પૈકી 120 કલાકારોને રાજકોટમાંથી લેવાશે. નાટ્ય કલાકારો અને રંગભૂમીમાં રસ લેતા માટે આ મહાનાયકમાં કામ કરવાનો અનેરો અવસર છે.

0902C0Ed 3030 40D4 8982 B1C623497Dfb

નાટકના કલાકારોની પસંદગીમાં 8મીને રવિવારે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી હેમુગઢવી હોલ ખાતે કલાકારોનું ઓડિશન રાખેલ છે. રસ ધરાવતાએ ઉપરોક્ત સ્થળે એક મિનિટના એક્ટિંગ પીસ અથવા ફોક ડાન્સ જાતે જ તૈયાર કરીને આવવાનું રહેશે. રાજકોટમાંથી ઉ.વ. 7 થી 55 વર્ષની વયના કલાકારોને લેવામાં આવશે. વધુ વિગત માટે ‘જાણતા રાજા’ મહાનાટકના ડાયરેક્ટર પ્રશાંત ચવ્હાણ 96583 96507 અથવા ઋષભ શર્મા 74157 93351નો સંપર્ક સાધવા જણાવાયું છે.

2F492289 A09C 4229 90F4 3C38112106A0

દુનિયાનું સૌથી મોટા આ નાટકમાં 300થી વધુ કલાકારો ભાગ લઇ રહ્યા છે. જેમાં 120થી વધુ નાના-મોટા કલાકારો સ્થાનિક કક્ષાએ ભાગ લેતા હોવાથી આ સમગ્ર પ્રોજેક્ટ કરાયો છે. નાટકના ઉભરતા યુવા કલાકારો માટે આ સોનેરી તક હોવાથી લાભ લેવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.