Abtak Media Google News

આગામી 6 વર્ષમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ 70 એરક્રાફ્ટ ભારતીય વાયુ દળને સોંપસે

દેશના સરક્ષણ વિભાગને વધુ મજબૂત બનાવવા માટે સરકાર 10,000 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનર એરક્રાફ્ટ અને જહાજોની ખરીદી કરશે જે અંગે પ્રધાનમંત્રી ની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી સિક્યુરિટી દ્વારા આ પ્રસ્તાવ પર મંજૂરીની મોહર લગાવવામાં આવી છે. અને આગામી છ વર્ષના સમયગાળામાં ભારતીય વાયુ દળને એરક્રાફ્ટ સોંપવામાં આવશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ ટર્બો ટ્રેનર 40 સેવા 70 એરક્રાફ્ટ આગામી છ વર્ષમાં બનાવી ઇન્ડિયન એરપોર્ટને શોપ છે આ 70 એરક્રાફ્ટ બનાવવા પાછળ આશરે 7000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.

બીજી તરફ ત્રણ જહાજોની જે ખરીદી કરવામાં આવશે તે તામિલનાડુ ખાતે લાર્જ અને ટુબ્રોના શિપ યાર્ડમાં બનાવવા છે જેનો કુલ ખર્ચ 3108 કરોડ જેટલો થવાની શક્યતા હાલ સેવાઈ રહી છે અને પ્રથમ જહાજ વર્ષ 2026 સુધીમાં નૌકાદળને આપવામાં આવશે. સરકાર દ્વારા જે એરક્રાફ્ટ અને જહાજોની જે ખરીદી કરવામાં આવી રહી છે આ તમામ સાધનોનો ઉપયોગ પાયલોટ ટ્રેનિંગ માટે કરવામાં આવશે. આ બંને પ્રોજેક્ટ છેલ્લા લાંબા સમયથી પડતર હતાં પરંતુ જે રીતે માગમાં વધારો થયો તે જોતા સરકારે અંતે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. પ્રથમ 70 પ્લેન આવ્યા બાદ ભારતીય વાયુદળ વધુ 36 પ્લેનનો પ્રોજેક્ટ પણ સરકાર સમક્ષ મુકશે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા જે 70 પ્લેન બનાવવામાં આવશે તેમાં 60% ચીજ વસ્તુઓ મેક ઇન ઇન્ડિયા હશે જે આવનારા દિવસોમાં એવિએશન ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ કાર્ય કરશે એટલું જ નહીં નવા ઉદ્યોગોની સાતો સાત સ્ટાર્ટઅપ માટે પણ અત્યંત ઉપયોગી નીવડશે. નૌકાદળમાં જોડાવા માટે વિવિધ કેડરના અધિકારીઓની સાતો સાત મહિલાઓને પણ આ જહાજોમાં પ્રશિક્ષણ આપવામાં આવશે અને અન્ય દેશોના યુદ્ધ જહાજો ની પણ ટ્રેનિંગ આપવામાં આવશે તેથી તેઓ આપાતકાલીન સમયમાં તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી શકે. સરકારે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે જે 70 પ્લેન બનાવવામાં આવશે તેનાથી 1500 લોકોને સીધી જ રોજગારી આપવામાં આવશે જ્યારે ઇનડાયરેક્ટ 3000 લોકો અને રોજગાર મળશે સામે શો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ આર્થિક ફાયદો પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.