Abtak Media Google News

રાજકોષીય ખાદ્ય અને અર્થતંત્રને ધબકતું રાખવા જીએસટીનો અહમ રોલ

ટેક્સ કલેક્શન મે ૨૦૨૨ કરતા ૧૨ ટકા વધારે હોવાનું સામે આવ્યું

કેન્દ્ર સરકાર રાજકોષીય ખાધને અંકુશમાં રાખી અને અર્થતંત્રને ધબકતું કઈ રીતે રાખી શકાય તે દિશામાં સતત પ્રયત્નશીલ રહે છે અને તેના ભાગરૂપે અનેકવિધ યોજનાઓની પણ અમલવારી કરવામાં આવતી હોય છે ત્યારે સતત 15 મહિનામાં જીએસટી રૂપિયા 1.4 લાખ કરોડથી વધુ નો હોવાનું સામે આવ્યું છે જ્યારે મે મહિનામાં રૂપિયા 1.57 લાખ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં ઠલવાણા છે. હાલ સરકાર રાજકોટને અંકુશમાં રાખવામાં સફળ નીકળી છે જેની પાછળના મુખ્ય કારણો એ છે કે યોગ્ય આયોજન અને જે રીતે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સની આવક વધી રહી છે તેનાથી અર્થતંત્ર પણ પુર પાઠ આગળ વધી રહ્યું છે.

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી કરની માસિક સરેરાશ આવક રૂ.૧.૫૧ લાખ કરોડ હતી તેની સામે એપ્રિલના વેચાણના આધારે મે મહિનામાં એકત્ર કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કુલ આવક રૂ.૧,૫૭,૦૯૦ કરોડ રહી છે. આ ટેક્સ કલેક્શન મે ૨૦૨૨ કરતા ૧૨ ટકા વધારે હોવાનું નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. જુલાઈ ૨૦૧૬માં વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સ્તરના પરોક્ષ કરવેરા ભેગા કરી અમલમાં આવેલા જીએસટીની આવક આ સમયગાળામાં કુલ પાંચ વખત રૂ.૧.૫૦ લાખ કરોડ કરતા વધારે રહી છે.

ઉત્પાદકો અને રિટેલ વેચાણની પ્રક્રિયા નાણાકીય વર્ષના અંતિમ મહિના માર્ચમાં તીવ્ર રીતે વધે છે. આ કારણોસર માર્ચના વેચાણ અને તેના આધારે એપ્રિલમાં ભરવામાં આવેલા જીએસટીની આવક રૂ.૧.૮૭ લાખ કરોડની સર્વકાલીન ઉંચી સપાટીએ રહી હતી. એપ્રિલ મહિનાની સરખામણીએ જીએસટીની આવકમાં ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

મે મહિનામાં કેન્દ્રીય સ્તરે વસૂલવામાં આવતા સીજીએસટીની આવક રૂ.૨૮,૪૧૧ કરોડ રહી છે. રાજ્ય સ્તરે લાદવામાં આવેલા એસજીએસટીની આવક રૂ.૩૫,૮૨૮ કરોડ અને આંતરરાજ્ય કે આયાત ઉપરના આઈજીએસટીની આવક રૂ.૮૧,૩૬૩ કરોડ રહી છે એમ નાણા મંત્રાલયની યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. આ કરની આવકમાં રૂ.૪૧,૭૭૨ કરોડ આયાત ઉપર અને રૂ.૧૧,૪૮૯ કરોડ સેસ તરીકે વસુલવામાં આવ્યા છે. આ યાદી અનુસાર, આયાત ઉપર જીએસટી કરની આવક ગત વર્ષ કરતા ૧૨ ટકા વધી છે જયારે સ્થનિક વપરાશ ઉપર કરની આવક ૧૧ ટકા જેટલી વધી છે.

દેશના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મે મહિનામાં ગત વર્ષની સરખામણીએ કરની આવકમાં વૃદ્ધિ જોવા મળી છે. જોકે, સ્થાનિક રીતે હિંસા અને કર્ફ્યુંના કારણે મણીપુર રાજ્યની જીએસટીની આવકમાં ૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત, પંજાબમાં પાંચ ટકા અને છત્તીસગઢમાં પણ ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જીએસટી એ વપરાશ સમયે ઉઘરાવતો ટેક્સ છે. મોટા રાજ્યોમાં મે મહિનામાં મહારાષ્ટ્રની જીએસટીની આવક ૧૬ ટકા વધી રૂ.૨૩,૫૩૬ કરોડ, કર્ણાટક ૧૨ ટકા વધી રૂ.૧૦,૩૧૭ કરોડ,ગુજરાત પાંચ ટકા વધી રૂ. ૯,૮૦૦ કરોડ તમિલ નાડુ ૧૩ ટકા વધી રૂ.૮,૯૫૩ કરોડ અને ઉત્તર પ્રદેશ ૧૨ ટકા વધી રૂ.૭૪૬૮ કરોડ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.