Abtak Media Google News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રપતિની મંજુરી બાદ આજે રાજયસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫-એ હટાવવાની દરખાસ્ત રજુ કરી હતી. જેનાં પગલે દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક રાજયોને એલર્ટ પર રહેવા સુચના આપવામાં આવી છે. આજે રાજકોટ રેલવે જંકશન ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. યાત્રિકોનાં સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને દરેક પ્લેટફોર્મ પર પોલીસે ફુટ પેટ્રોલીંગ પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.