Abtak Media Google News

યાત્રાધામ દ્વારકામાં નવનિર્મિત સ્મશાનગૃહ ‘વૈકુંઠધામ’નું રિલાયન્સ ગ્રુપના સી.એસ.આર. ફંડ અંતર્ગત રૂપીયા પાંચ કરોડના ખર્ચે નવનિર્માણ થયા બાદ થોડા સમય પહેલા જ લોકાર્પણ થયા બાદ દેવભૂમિમાં બેતાલીસ ગામ લોકો માટે સુવિધા ઉભી થઈ છે. તાજેતરમાં ખંભાળીયા ખાતે રીલાયન્સના ગ્રુપ પ્રેસીડન્ટ તથા રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીનું દ્વારકાના અગ્રણીઓ નિર્મલભાઈ સામાણી, ક્ધુભાઈ હિન્ડોચા, પરેશભાઈ ઝાખરીયા, ચંદુભાઈ બારાઈ સહિતનાઓએ વૈકુંઠધામની સેવા બદલ પરિમલભાઈનું દ્વારકાધીશના ઉપરવસ્ત્રથી શુભેચ્છા પાઠવી સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતુ. આ તબકકે ધનરાજભાઈ નથવાણી, ગોર કપિલભાઈ વાયડા તથા અન્ય આગેવાન મિત્રો પણ ઉપસ્થિત હતા.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.