Abtak Media Google News

રામ અને લીલાએ તેમના પ્રેમજીવનની યાદગાર વાતો શેયર કરી

છેલ્લા કેટલાય સમયથી લગ્નની ચર્ચામાં રહેલા રણવીરસિંહ અને દિપીકા પાદુકોણ આખરે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેઈટ કરતા દીપવીરના ભવ્ય લગ્નોત્સવમાં ગણ્યા ગાંઠયા લોકોને જ નિમંત્રણ આપવામાં આવ્યા હતા. જોકે લગ્ન બાદ ‘દિપવીરે’ બોલીવુડ અને પરિચિત આત્મીયો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. રણવીરસિંહે લગ્ન બાદ કેટલીક રસપ્રદ વાતો અને ફોટોઝ શેયર કર્યા છે. રણવીરે ત્રણ વર્ષ પહેલા દિપીકા સાથે કરેલી કેટલી વાતોને શેયર કરી છે.

રણવીરે દિપીકા અંગે એકસાઈટેડ થતા જણાવ્યું કે, હું દિપીકા ‘હા’ પાડે તેની જ રાહ જોતો હતો. હું જાણતો હતો કે મારા સ્વપ્નની રાણી દીપીકા જ મારી જીવન સંગીની બનશે અને આજ સ્ત્રી મારા બાળકોની માં બનશે. હું દિપીકા સાથે લગ્ન કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રયાસ કરતો હતો અને ખરેખર હું દિપીકા માટે સિરિયસ હતો.

હું માત્ર તેને પ્રપોઝ કરવાની રાહ જોતો હતો. મેં યોગ્ય સમયે દિપીકાને પ્રપોઝ કર્યું અને દિપીકાએ મારી આ પ્રપોઝલને સ્વિકારી. મહત્વનું છે કે સંજયલીલા ભણસાલીની ફિલ્મ રામ-લીલામાં પહેલીવાર દિપીકા અને રણવીરસિંહ સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મ બાદ જ બંનેના રિલેશન વધારે મજબુત થયા હતા અને આ ફિલ્મ બાદ જ બંને એકબીજાને ડેઈટ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે ઈટલીમાં થયેલા દીપવીરના લગ્નમાં મિડીયાને દુર રાખવામાં આવ્યું હતું અને આમંત્રિત મહેમાનોને પણ આ કપલ દ્વારા કોઈપણ ફોટો ન પાડવા અને ફોટો શેયર ન કરવા વિનંતી કરી હતી. લગ્નબાદ દીપવીરે લગ્નના ફોટો સોશિયલ મીડિયામાં શેયર કર્યા હતા. દિપવીરના લગ્ન બે અલગ અલગ વિધીથી સંપન્ન થયા. દિપવીરના લગ્નના ફોટા અને પ્રિ-વેડીંગ સેલિબ્રેશનના ફોટો પણ સોશ્યલ મીડિયામાં શેયર થયા.

જયારે રણવીરસિંહને પુછવામાં આવ્યું કે ઈટલીમાં લગ્ન શા માટે ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે હું અન્ય પુરુષો જેવો જ છું હું પણ મારી પત્નીને ખુશ રાખવા માંગતો હતો અને દિપીકાની ઈચ્છા હતી કે લગ્ન ઈટાલીમાં થાય હું દિપીકાને દરેક ઈચ્છાને પૂર્ણ કરવા માંગુ છું. જીવનની દરેક બીટને હીટ કરવા માંગું છું મારી ખુશી તેની ખુશી સાથે જોડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.