સૌરાષ્ટ્રના જુદા-જુદા પંથકમાં આંબાની ખેતી ઓર્ગેનિક ખેતી થઈ રહી છે. રાસાયિણ ખાતર મુક્ત ખેતી કરી ઘણા ખેડૂતો ખેતીક્ષેત્રે સફળ થયા છે. કોડીનાર તાલુકાના દુદાણા ગામે એક ખેડૂત તેમના ખેતરની ૧૨ વીધા જમીનમાં આંબાની આોર્ગેનિક ખેતી કરી ઉત્પાદન મેળવી રહ્યો છે. દુદાણા ગામે ખેતી ધરાવતા અજદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, તેમના ખેતરની ૧૨ વીધા જમીનમાં ૨૮૦ આંબા આવેલા છે. દેશી ખાતર, અળશીયાનું ખાતર અને ઘનજીવામૃતનો આંબામાં ખાતર તરીકે ઉપયોગ કરે છે. ખેતરમાં ૨૦૦૨થી આંબાની કેસર કલમોની રોપણી કરી હતી ત્યારથી લઈ આજદીન સુધી કોઈપણ પ્રકારનું જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. કેશર, રાજાપુરી, તોતાપુરી, આમ્રપાલી સહિત ઘણા પ્રકારની કેરીની જાતનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેઓને ઓર્ગેનિક ખેતી માટે ગુજરાત ઓર્ગેનિક પ્રોડકટસ સર્ટિફીકેશન એજન્સીનું સર્ટીફીકેટ મળેલ છે. ૧૦૦ ટકા ઓર્ગેનિક કેસર કેરી આમ્રકૂંજ ફાર્મ છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ