Abtak Media Google News

જામનગરના વુલન મીલ વિસ્તારમાં રહેતા એક યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. જ્યારે એક વૃદ્ધાએ એસિડ પી મોતને મીઠું કરી લીધું છે. ઉપરાંત ખંભાળિયાના જૂની ફોટના એક વૃદ્ધે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ત્રણેય બનાવોની તપાસ હાથ ધરી છે.

જામનગરના મયુરનગર રોડ પર આવેલા વામ્બે આવાસમાં વસવાટ કરતા અમરીબેન મીયાઝરભાઈ બુચર નામના સાંઈઠ વર્ષના ગઢવી વૃદ્ધાએ ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ અકળ કારણસર એસિડ પી લીધું હતું. તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ડિવિઝનના એએસઆઈ એ.એલ. રાઠોડે મૃતદેહનું પી.એમ. કરાવી તપાસ હાથ ધરી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ વિસ્તારમાં આવેલી ડીફેન્સ કોલોનીમાં રહેતા રામભાઈ વેરશીભાઈ પતાણી નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાધો હતો. તેઓને પિતા વેરશીભાઈ મોમૈયાભાઈ પતાણીએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં મોડીરાત્રે રામભાઈનું મૃત્યુ થતા પોલીસને જાણ કરવામાં આવી છે. પીએસઆઈ જી.જે. ગામીતે મૃતદેહનો કબજો સંભાળ્યો છે.

ખંભાળિયા તાલુકાના જૂની ફોટ ગામમાં રહેતા નાનજીભાઈ જેરામભાઈ રાઠોડ નામના પાંસઠ વર્ષના વૃદ્ધે ગઈ તા.૭ની સવારે અકળ કારણસર ઝેરી દવા પી લીધી હતી. તેઓને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે ખંભાળિયા દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજતા પુત્ર જીવણભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.