Abtak Media Google News

આશ્ચર્ય જનક ઘટનાથી લોકોમાં ચર્ચા

Advertisement

કેશોદના રાણીકપરા ગામમાં આજે સવારે ૭.૩૯ મિનિટે આવતા ભૂકંપના આંચકા બાદ એક કૌતુક થાય તેવુ દ્રશ્ય જોવા મળ્યુ હતુ. જેમાં બોરમાંથી ૫૦ ફૂટ ઉંચો ફૂવારો છુટવાનું દ્રશ્ય જોવા મળ્યુ હતુ આ દ્રશ્યથી લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયુ હતુ.

રાણીકપરા ગામના લોકોએ આજે સવારે ભૂકંપબાદ એક આર્શ્ર્ચયજનક ઘટના નિહાળી હતી. જેમાં એક બોરમાંથી ૫૦ ફૂટ ઉંચો ફૂવારો છૂટતા લોકોએ દૂરથી આ દ્રશ્યને કેમેરામાં કેદ કર્યુ હતું.

બોરમાંથી ૫૦ ફૂટ ઉંચો ફુવારો શા માટે છૂટયો હતો તે અંગેની કઇ વિગત સામે આવી નથી. પરંતુ ભૂકંપ આવ્યો હોવાથી આમ બન્યુ હોવાનું મનાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.