Abtak Media Google News

રાજુલાના ધોળીયા ડુંગરા વિસ્તારમાં રહેતા દુધરેજીયા હિરેનભાઈ ભુપતભાઈ (ઉ.વ.૧૯) નામના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ પોતાની જીવન દોરીને ટુંકાવી દીધેલ છે.

લોકોમાં એવી ચર્ચા છે કે અટલા એવા છોકરાને આવું પગલું શા માટે ભરવું પડયું ? શું કોઈએ ધાક-ધમકી કે ત્રાસ આપેલ હતો ? તેની તપાસ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ છોકરો ખુબ જ સરળ અને શાંત સ્વભાવનો અને બહોળો મિત્ર વર્ગ ધરાવતો હતો.

આ ઘટનાના સમાચાર તેના મિત્રોમાં સંભળાતા મોટી સંખ્યામાં તેના મિત્રો એકઠા થયેલ હતા. આ છોકરાને કુટુંબમાં માતા-પિતા અને ત્રણ ભાઈઓ છે. જેમાં તેના માતા-પિતા વહેવારીક કામે સુરત ગયેલા હતા અને બે ભાઈઓ ગામમાં ગયેલા હતા.

જયારે ભાઈઓ ઘરે પરત ફર્યા ત્યારે હિરેન ગળેફાંસો ખાધેલી હાલતમાં હતો જેથી તેના ભાઈઓ માથે જાણે આભ ફાટયું હોય તેવો બનાવ બનેલ છે અને રક્ષાબંધન પવિત્ર તહેવારમાં મૃત્યુ થતા સમગ્ર પરીવારમાં શોકનું મોજુ ફરીવળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.