Abtak Media Google News

રૂ.૪૦ લાખની સંબંધીએ છેતરપિંડી કરતા ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું

શહેરના કોઠારીયા રોડ પર આવેલ જૂના સ્વાતિ પાર્કમાં પ્રૌઢ સાથે રૂ.૪૦ લાખની સંબંધીએ છેતરપિંડી કરી હોવાથી ૧૫ દિવસ પહેલા કરેલા આપઘાત અંગે પોલીસે ત્રણ શખ્સોને આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ કોઠારીયા રોડ પર જૂના સ્વાતિ પાર્ક શેરી નં.૭માં રહેતા હસમુખભાઈ પટેલ નામના પ્રૌઢે ગત તા.૯ ઓગષ્ટે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

મૃતક હસમુખભાઈએ ખોખડદળ રહેતા મનસુખભાઈ મોહનભાઈ વોરાને રૂ.૪૦ લાખ ૧૫ દિવસ માટે હાથ ઉછીના આપ્યા હતા. તે પરત આપવાની ના કહી હતી. જયારે વિજયભાઈ પાસેથી હસમુખભાઈએ લીધેલી રકમની ઉઘરાણી કરી ધાક ધમકી દેતા હોવાથી તેમજ રાધે હોટલ પાસે રહેતા પુના ચના ટોળીયા નામના શખ્સ પાસેથી દુકાન ખરીદ કરી હતી તે પેટે તેને રૂ.૯ લાખ ચૂકવી દીધા હોવા છતાં તે દસ્તાવેજ કરી આપતો ન હોવાથી કંટાળીને આપઘાત કર્યાનો મૃતકના પુત્ર પિયુષભાઈ પટેલે ભક્તિનગર પોલીસને જણાવ્યું હતું.  ભક્તિનગર પોલીસે પિયુષભાઈ સહમુખભાઈ પટેલની ફરિયાદ પરથી મનસુખ મોહન વોરા, વિજય અને પુના ચના ટોળીયા સામે આત્મહત્યાની ફરજ પાડવાનો ગુનો નોંધી પીએસઆઈ કે.જી.સીસોદીયાએ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.