Abtak Media Google News

ધારાસભ્ય લલીત વસોયા, પાલિકાપ્રમૂખ રાણીબેન ચંદ્રવાડીયા સહિતના મહાનુભાવે રસપાન કર્યું

ઉપલેટામાં હિમાલય ટાઈલ્સવાળા પ્રિતીબેન તથા ભુરાભાઈ હાજાભાઈ ચંદ્રવાડિયા પરિવાર દ્વારા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આઠ દિવસ માટે આયોજન કરવામાં આવેલ હતું. આ સપ્તાહના જ્ઞાનયજ્ઞનાં વ્યાસપીઠ ઉપર ચંદ્રવાડિયા પરિવાર કુલગુરૂ ભાગવત વકતા શાસ્ત્રી રાજુભાઈ જોષી બિરાજી કથામાં રસપાન પોતાની સુમધુર વાણીમાં કરાવેલ હતું.

02 4 આઠ દિવસ દરમ્યાન આ કથામાં ધારાસભ્ય લલીતભાઈ વસોયા, નગરપતિ રાણીબેન ચંદ્રવાડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, એન.પી.કાલાવડીયા, મેહુલભાઈ ચંદ્રવાડિયા, દાનભાઈ ચંદ્રવાડીયા સહિતના આગેવાનો રસપાનનો લાભ લીધો હતો. આ તમામ મહેમાનોને ચંદ્રવાડિયા પરિવાર વતી ખીમા ડાડા ચંદ્રવાડિયા, મહેશભાઈ ચંદ્રવાડિયા, પૂજાબેન, મંજુલાબેન, અનિલાબેન, સોનલબેન, સુમિતાબેન વિગેરે આવકારી સ્વાગત કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.