Abtak Media Google News

શહેરોથી લઇને ગ્રામ્ય વિસ્તારો સુધી લોકો સોલાર પાવર વાપરતા થયા છે

ભારત ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. તો સરકાર તેના માટે પુરતા પ્રયાસો કરી રહી છે. ત્યારે હવે ડીજીટલ ક્રાંતીએ પણ લોકોની વિચારધારા બદલી નાખી છે. વિજળી વપરાશ દિન-પ્રતિદીન મોઘું બની રહ્યું છે. જેના પગલે શહેરોથી લઇને ગ્રામ્યો વિસ્તારો સુધીના લોકોપણ થર્મલ એન્જી કરતા રીન્યુએબલ એનર્જીનો વધુ ઉપયોગ કરવા તરફ વળી રહ્યા છે. જેનાથી સોલાર પાવરના ઉત્૫ાદનમાં પણ વધારો થશે જે સસ્તુ અને સુવિધાજનક છે. અને વીજ ઉત્પાદન તેમજ પવનચકી ઉદ્યોગમાં પણ તેજી લાવી શકાશે. સોલાર ઉત્૫ાદનથી વપરાતી ઇલેકટ્રીસીટી થર્મલ પાવર કરતાં સસ્તી પડે છે. વર્ષ ૨૦૧૦ થી લઇને ૨૦૧૪ સુધીમાં રૂ ૨.૪૪ પ્રતિ કિલોવોલ્ટ લાઇટ સસ્તી પડી હતી. જેના ડેટા એક પરિક્ષણ બાદ કોલસા અને રીન્યુએબલ એન્જીની સરખામણી કરવામાં આવી હતી. જેના તારણ મુજબ ભારત નેશનલ ડિટરમાઇન્ડ ક્ધટ્રીબ્યુશન તરફ સકારાત્મક સહયોગ બતાવી રહ્યું છે. જેની ચર્ચા આંતરરાષ્ટ્રીય કલાઇમેંટ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.

જો આ પ્રકાર જ લોકોનો પ્રતિસાદ રહ્યો તો વર્ષ ૨૦૨૬ સુધીમાં થર્મલ અન્જી ચારકોલ ઉત્પાદનની સરખામણી કરશે હાલમાં ભારતે થર્મલ પાવર પ્લાન્ટ લગાવ્યો છે જે ૩૨૭ જીડબલ્યું નો પાવર કોલસામાંથી ઉન્પન્ન કરે છે. ભારતે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૭૫ જી.ડબલ્યુ રીન્યુએબલ પાવર જનરેટ કરવાનો લક્ષ્ય બનાવ્યો છે. અને વર્ષ ૨૦૨૭ સુધીમાં ૨૭૫ જીડબલ્યુએ પહોંચશે. તેનાથી કોલસા ઉત્પાદન પણ વધારવું પડશે એક પરિક્ષણ પ્રમાણે હાલ રીન્યુએબલ થર્મલ એનજીના ઉત્૫ાદન ખર્ચમાં પણ ઘટાડો થયો છે તેથી સોલાર પાવર આથિક માટેનો ખર્ચ ઘટી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.