Abtak Media Google News

હાલ ના યુવક યુવતીઓ ડીપ્રેશનની સમસ્યા વધી રહી છે ત્યારે ત્યારે ડીપ્રેશનથી પીડાઈ રહેલ યુવક યુવતીઓ આપઘાતનો રસ્તો અપનાવે છે. રાજકોટ શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ડીપ્રેશનથી પીડાઈ રહેલી 17 વર્ષીય તરૂણીએ સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે કિશન પાર્કમાં રહેતી આયુષી મહેશભાઈ રાવલ નામની 17 વર્ષીય તરૂણીએ ‘ હું ઘણા સમયથી ડીપ્રેશનમાં છું, કોઈનો વાંક નથી’ તેવું સ્યુસાઈડ નોટમાં લખી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. આપઘાત કરી લેતાની જાણ થતા થતા તાલુકા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરતા ત્યાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જે પોલીસે કબ્જે કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ તેના માતા-પિતા અલગ રેહતા હતા.જયારે આયુષી તેની માતા સાથે 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે કિશન પાર્કમાં રહેતી હતી.તે તેમની સાથે રહીને જ અભ્યાસ કરતી હોવાનું સામે આવી રહ્યું છે. સાથે જ પોલીસને આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં જણાવ્યું હતું કે હું ઘણા સમયથી ડીપ્રેશનમાં છું, કોઈનો વાંક નથી, આઈ એમ સોરરી હું નહી જીવી શકું. હાલ પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી આપઘાતનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે પણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.