Abtak Media Google News

પતિએ દરવાજો તોડતા પત્નીને લટકતી હાલતમાં જોતા પરિવારમાં આક્રંદ

શહેરમાં સુખસાગર સોસાયટીમાં રહેતી 25 વર્ષીય પટેલ પરિણિતા રાધિકા ભાવિકભાઈ વસોયાએ ગઈકાલે મધરાતે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. રાધિકાએ પોતાના રૂમમાં શાલ પંખા સાથે બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આપઘાત કરવા પાછળના કારણથી પરિવારજનો પણ અજાણ હોય રાજકોટ તાલુકા પોલીસના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા પુનિતનગરની પાછળ આવેલી સુખસાગર સોસાયટીમાં મૃતક રાધિકા તેમના પતિ, સાસુ-સસરા અને દીયર સાથે રહેતી હતી. ત્રણ વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. પરિવાર સુખસાગર સોસાયટીના સદભાવના એપાર્ટમેન્ટમાં રહે છે. ગત રાત્રે 12 વાગ્યે પરિવારના અન્ય સભ્યો સુતા હતા અને રાધિકા પોતાના રૂમમાં હતી.

જયારે તેમના પતિ એપાર્ટમેન્ટમાં નીચે હતા. પતિએ ઘરે પહોંચી રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પણ રાધિકાએ દરવાજો ખોલ્યો ન હોતો. જે પછી અનેક વખત ખખડાવવા છતા ન ખોલતા દરવાજો તોડી ઘરના સભ્યોએ અંદર જોતા રાધિકા ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાઈ રહી હતી. જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડતા ત્યાં હાજર તબીબ ડો. કૃપાલી કોટડીયાએ તપાસી રાધિકાને મૃત જાહેર કરતા જ વસોયા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

આ તરફ સિવિલ હોસ્પિટલ ચોકીના એએસઆઈ સી.જે. ઝાલાએ રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઈ આર.જે. ચારણ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પરિવારની પુછપરછમાં આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રાધિકાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેમના પિતાનું ઘણા સમય પહેલા જ અવસાન થયું હતું. રાધિકાના માતાએ બીજા લગ્ન કરતા તે વલસાડ હતા. દીકરીના અવસાન અંગે તેમને જાણ કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.