Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાને રવિવારે સીઝફાયર વાયોલેશન કર્યું. પાક.ના ગોળીબારના કારણે એક જ પરિવારના 5 સભ્યોના મોત થઇ ગયા અને 2 લોકો ઘાયલ થઇ ગયા. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના ફાયરિંગનો જબરદસ્ત વળતો જવાબ આપ્યો.

એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના ગોળીબાર દરમિયાન સરહદની નજીક આવેલા ગામ દેવતા ધારમાં ચૌધરી મોહમ્મદ રમજાનના ઘરમાં ગોળીઓ જઇને પડી, જેમાં એક મહિલા અને એક બાળકી સહિત પાંચ લોકોના મોત થઇ ગયા.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદે ટ્વિટ કર્યું,,, “પૂંછ જિલ્લામાં પાકિસ્તાનના ગોળીબારના કારણે 5 સિવિલિયન્સના મોત થયાં છે. 2 ઘાયલોને હોસ્પિટલમાં એડમિટ કરાવમાં આવ્યા છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.