Abtak Media Google News

જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળાની સુપુત્રી ચિ.આરાધના ડેલીવાળાએ SSC બોડૅમાં 99.94 પર્સેન્ટાઈલ રેન્ક મેળવ્યા…

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાની સુપુત્રી ચિં.આરાધનાએ એસ.એસ.સી.બોડૅમાં 99.94 પર્સેન્ટાઈલ રેન્ક હાંસલ કરી જૈન સમાજ તથા ડેલીવાળા પરીવાર તથા ધોળકીયા સ્કૂલનું ગૌરવ વધારેલ છે.ધોળકીયા સ્કૂલમાં ચોથો બોડૅમાં છઠ્ઠો ક્રમાંક મળવેલ છેે.અત્રે નોંધનીય છે કે ધોળકીયા સ્કૂલ ઈંગ્લીશ મીડિયમમાં અભ્યાસ કરતી આરાધના ડેલીવાળા જૈન ધમૅનું પણ સારું જ્ઞાન ધરાવે છે.શ્રી આવશ્યક – પ્રતિક્રમણ સૂત્ર સહિત જૈન આગમની ગાથાઓ આરાધનાએ  કંઠસ્થ કરેલી છે.

ધોળકીયા સ્કૂલમાં ચોથો ક્રમાંક અને બોડૅમાં છઠ્ઠો ક્રમાંક મેળવ્યો…

અત્રે ઉલ્લેખનીય છે કે ચિ.આરાધના ડેલીવાળા રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની ભાણેજ,પૂ.પ્રબોધિકાબાઈ મ.સ.ની દોહિત્રી,નૂતન દીક્ષિત પૂજ્ય વિભૂતિજી મ.સ.ની કઝીન બહેન તેમજ લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ.નેહાલીબાઈ મ.સ.ની સંસારી ભત્રીજી થાય છે.લુક એન લનૅ જૈન જ્ઞાન ધામ પણ ગૌરવ અનુભવે છે.આરાધના ડેલીવાળા ઉત્તરોત્તર સફળતાના શિખરો સર કરે તેવી ઠેર – ઠેરથી શુભેચ્છાઓ સાથે અભિનંદન રહ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.