Abtak Media Google News

શ્રીનગરના જાકોરા મા આંતક્યો છુપાયા હોવાની બાતમીના આધારે સેનાના સર્ચ ઓપરેશન દરમિયાન ધાણી ફૂટ ગોળીબાર કરનાર બે ઠાર

અબ તક શ્રી નગર

જમ્મુ કાશ્મીર માથી ૩૭૦ની નાબૂદી અને રાજ્યના વિકાસના દ્વાર ખુલતા દેશ વિરોધી તત્ત્વો હાથ ઘસતા રહી ગયા છે ,ત્યારે ગઇકાલે શ્રીનગર ના ભરચક વિસ્તારજાકુરામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકીઓનો ખાતમો બોલાવાયો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

શ્રીનગરના જાકોરા વિસ્તારમાં બે આતંકીઓ છૂપાયા હોવાની બાતમી મળતાં સુરક્ષા દળોએ ચારેતરફ નાકાબંધી કરી આતંકીઓને શરણે આવી જવા તાકીદ કરી હતી પરંતુ એકાએક આંતકવાદીઓએ સુરક્ષા જવાનો પર ગોળીબાર શરૂ કરી દેતા સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી, આઇ જી પી વિજયકુમાર એ જણાવ્યું હતું કે લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલા હોય એવું મનાતા બે શખ્સો ના એનકાઉન્ટર માં મોત નિપજયા હતા ઠાર મરાયેલા બેમાંથી એક આંતકવાદી જાન્યુઆરી ૨૯ ના દિવસે અનંતનાગ ના હેડ કોસ્ટેબલ અલી મોહમ્મદ ની હત્યામાં સંડોવાયો હતો આ બંને આંતકવાદીઓ લશ્કર-એ-તોઇબા અને તેની સહયોગી સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.