Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલા ખીમેશ્વર મહાદેવના મંદિરે પૂજા કરવા માટે આવેલા એક ભકતે પૂજારી પર હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે, જયારે સામા પક્ષે પૂજારી સામે પણ હુમલા અંગે ની વળતી ફરિયાદ નોંધાવાઇ છે.

Advertisement

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલા મંદિરે સેવા પૂજા કરતા કર્ણદેવસિંહ જાડેજાએ પોતાના ઉપર લોખંડની ડોલ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પૂજા કરવા માટે આવેલા ખીમરાણા ગામના દિનેશ શાંતિલાલ ધારવીયા સામે ફરિયાદ નોંધાવી છે.

જયારે સામા પક્ષે દિનેશ ધારવીયા એ પૂજા કરવા બાબતે પોતાની સાથે તકરાર કરી મંદિરમાં રહેલા લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પૂજારી કરણદેવસિંહ પ્રવીણસિંહ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તપાસ ચલાવે છે.

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.