Abtak Media Google News

પિતાના મૃત્યુ બાદ માતા સાથે રહેતા બાળકના રહસ્યમય મોતનું કારણ જાણવા પરિવારજનોએ પોલીસ દ્વારા વિશેરા લેવાયા

Advertisement

રાજકોટમાં અમીન માર્ગ પર સૂર્ય પાર્કમાં માતા સાથે રહેતા 12 વર્ષના બાળકને રાત્રે પેટમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

બાળકનું મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમીન માર્ગ પર સૂર્યપાર્કમાં અક્ષર ગેરેજ વાળી શેરીમાં ભાડાના મકાનમાં માતા ભવિકાબેન પાનસુરીયા સાથે રહેતો પ્રહર પ્રકાશભાઈ પાનસુરીયા નામના બાર વર્ષીય બાળકને રાત્રે પેટમાં દુખાવો ઉપડતા નજીકના મેડિકલ માંથી દવા લઈ પીવડાવવામાં આવી હતી જે બાદ બાળક સુઈ ગયા બાદ બેભાન થઈ જતાં માતા ભાવિકાબેનએ તેને ઉઠાડવા ઘણાં પ્રયત્નો કર્યા હોવા છતાંય ઉઠતો નહતો આથી સબંધીને ફોન કરી બોલાવતા પ્રથમ મવડીમાં આસ્થા હોસ્પિટલ બાદ, પરમ અને ત્યાંથી સીનર્જીમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના ભાવેશભાઈ મકવાણાએ માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રહર રાજસ્થાનના જયપુરમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો અને તેના પિતા પ્રકાશભાઈનું પાંચ વર્ષ પૂર્વે અવસાન થયું છે. મૃતકના માતા ભાવિકાબેનના જણાવ્યા મુજબ પ્રહરને ચાર પાંચ દિવસ પહેલા પગમાં કપાસી હોવાથી દુખાવો થતો હોવાનો ફોન કરતા હું તેને તેડવા ગઈ હતી બાદમાં રાજકોટ આવી તેની સારવાર કરાવી આજે તેને મુકવા જયપુર પરત જવાનો હતો. મૃતકના પિતાના પરિવારજનોએ શંકા દર્શવતા પોલીસે મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથધરી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.