Abtak Media Google News

ગૌ માતા બાદ આખલા પર જવલંતશીલ ફેંકતા જીવદયામાં અરેરાટી

જસદણ શહેરમાં અબોલ પ્રાણી પર એસીડ ફેકવાના કિસ્સા વધી રહ્યા છે ચાર દિવસ પહેલા  ગાય પર નરાધમ. પાપીએ એસિડ ફેક્યું હતું ત્યારબાદ બે દિવસ પહેલા જસદણની શિવ શક્તિ સોસાયટીમાં રખડતા આખલા પર કોઈએ એસિડ ફેંક્યું એસિડ એટલે તેજાબ કેવી પીડા થતી હશે કેટલી થતી હશે આ અબોલ પ્રાણી તેની વેદના કોને સંભળાવે પાટા નો બાંધનારો પીડાને શું જાણે કોને ફરિયાદ કરે આખલા ને ખબર છે તેના પર એસિડ કોને ફેક્યું પણ આપણને કેમ બતાવે કેમ કે તે બોલી નથી શકતો.

જીવદયા પ્રેમી લોકો કહી રહ્યા છે કે દર મહિને એકાદા પશુ પર કોઈને કોઈ નરાધન પાપી એસિડ ફેક તો જ હોય છે આખલા પર એસિડ ફેકીયાની જાણ થતા જીવ દયા પ્રેમી લોકો તાત્કાલિક રખડતા આખલાને ગોતી ને ડોક્ટરને બોલાવીને ડ્રેસિંગ કરાવી દુખાવા ના ઇન્જેક્શન આપી અને આખલાની સારવાર કરાવી હતી જીવ દયા પ્રેમી લોકોનું કહેવું છે કે આવા મૂંગા પશુઓ પર એસિડ નાખનાર પાપીઓ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરે કે ન કરે પણ કુદરત તો કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.