Abtak Media Google News

ઓઝોનમાં પડેલુ ગાબડુ સમગ્ર માનવજાત માટે વિનાશકારક છે, જેથી ઓઝોન સ્તરની જાળવણી અનિવાર્ય: ડો. બર્નેશ પોલ

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ પાંચ વર્ષ પૂર્ણ કરી છટ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે અનુસંધાને અને ડો.વિક્રમ સારાભાઈની ૧૦૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસ તથા યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામના સયુંકત ઉપક્રમે “સેવ ઓઝોન સેવ અર્થ” વિષય પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વમાંથી હજ્જારો વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, આચાર્યઓ, સંશોધકો વિગેરે ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.

આ આંતરરાષ્ટ્રીય વેબિનારમાં વિષય નિષ્ણાંત તરીકે હાજર રહેલ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામના કો ચેરપર્સન અને લોયોલા યુનિવર્સિટી, યુ.એસ.એ.ના પ્રોફેસર ડો.બર્નેશ પોલે જણાવ્યું હતું કે ઓઝોન સ્તરમાં પડેલ ગાબડું સમગ્ર માનવજાત માટે વિનાશકારક છે, જેથી ઓઝોન સ્તરની જાળવણી અનિવાર્ય છે. ઓઝોન હોલને કારણે ઘણા બધા હાનીકારક પરિબળો અને તેની વિનાશકારક અસરો સમગ્ર વિશ્વ નિહાળી રહ્યું છે.

ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ અગ્રસચિવ શ્રીમતિ અંજુ શર્માએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ થતા કુલપતિ ડો. ચેતન ત્રિવેદીને સતત વિદ્યાર્થીલક્ષી, સમાજલક્ષી તથા શિક્ષણલક્ષી કાર્યો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, સાથે સાથે “સેવ ઓઝોન, સેવ અર્થ તેમજ સેવ વોટર” ઉપર વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજ આપી હતી. કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઓઝોનની જાળવણી એ દરેકની વ્યક્તિગત ફરજ છે અને તેનું હાલના સમયમાં સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.