જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગ ખાતે વર્લ્ડ બેંક, આઈસીએઆર, ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઈડીપી) અંતર્ગત બી.એસ.સી. (હોનર્સ) એગ્રીકલ્ચર અને હોર્ટીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે જંતુનાશક દવાઓના છંટકાવમાં રક્ષણાત્મક પગલાં (સુરક્ષા હમેશા) ” વિષય પર ઓનલાઈન વેબિનાર યોજાયો. આ સમારંભમાં કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય તથા પ્રોજેક્ટ કો-પી.આઈ. ડો. કે. એ. ખુંટ, પ્રાધ્યાપક અને વડા કીટકશાસ્ત્ર વિભાગ ડો. એમ. એફ. આચાર્ય, પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ ડો. એલ. એફ. અકબરી, મદદનીશ પ્રાધ્યાપક, ડો. કે. ડી. શાહ અને હેડ ટેકનીકલ સર્વિસ, બીએએસએફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડના ડો. સંજય ઠકકર હાજર રહેલ. ડો. સંજય ઠકકર દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ જંતુનાશક, ફૂગનાશક, નિંદામણનાશક અને અન્ય દવાઓના છંટકાવ વખતે રાખવામાં આવતી કાળજીઓ તેમજ તેની ઝેરી અસરો સામેના રક્ષણાત્મક પગલાઓ તથા તકેદારીઓ અંગે માહિતી આપી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ